Posts

Showing posts from June, 2012

કહેવત - સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે

કહેવત -  સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે ઘણી જાણીતી આ કહેવતમાં સુરતી ખાણીપીણીની અને કાશીમાં મળેલ મૃત્યુની મહિમા કરેલી છે. સુરતી વાનગીઓ તો સુપ્રસિદ્ધ છે જ. ત્યાંના જમણનો સ્વાદ અને વાનગીના પ્રકાર કૈક અલગ જ હોય છે. વાળી એવું કેહવામાં આવે છે કે પવિત્ર નગરી કાશી (વારાણસી), ભગવાન કાશીવિશ્વનાથના ધામમાં જો કોઈને મૃત્યુ મળે તો તેનો મોક્ષ થઇ જાય છે. ઉદાહરણ - " જીવનમાં હવે માત્ર બે જ ઈચ્છા બાકી રહી છે. સુરતનું જમણ અને કાશીનું મરણ. " SURAT NU JAMAN NE KASHI NU MARAN - NASIBDAR NE J MALE (Fortunate are those who get food of Surat and death in Kashi) This well known proverb describes the good reputation of the food of Surat and the death received in the sacred city of Kashi. It is used in its literal meaning.

રૂઢિપ્રયોગ - હાથના કર્યા હૈયે વાગ્યા

હાથના કર્યા હૈયે વાગ્યા આ કહેવત શાબ્દિક રીતે તો અગાઉ લખેલી કહેવત "ખાડો ખોદે એ પડે" ને મળતી આવતી લાગે છે. પરંતુ ખરેખર આ કહેવતનો અર્થ/ઉપયોગ સાવ ઉંધો જ છે. કોઈ વ્યક્તિ જયારે જાણે-અજાણે કોઈ ભૂલ કરી બેસે અને પછી એનું ફળ ભોગવવું પડે ત્યારે આ કહેવત નો ઉપયોગ થાય છે. આ કહેવત ને ઉદાહરણ વડે જ વધુ સમજી શકાશે. ઉદાહરણ - " મેં મારા છોકરાને પરદેસ ભણવા મોકલ્યો અને એ ત્યાનો જ થઈને રહી ગયો. હવે હું દોષ દઉં તો પણ કોને દઉં. મારા હાથના કર્યા જ મને હૈયે વાગ્યા. " HATH NA KARYA HAIYE VAGYA (Damned by one's own deed) By the literal meaning this proverb would seem similar to the proverb " KHADO KHODE AE PADE ". But in fact this proverb has rather different meaning/usage. When someone is facing bitter consequences of his own mistakes - made knowingly or unknowingly - he would use this proverb.

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

ખાડો ખોદે એ પડે કર્મનું ફળ અફર હોય છે. શાસ્ત્રો એ વાતમાં સ્પષ્ટ છે કે વ્યક્તિને કેવા કર્મો કરવા એ નક્કી કરવા માટેની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પણ પછી એ કર્મોનું ફળ શું મળશે એ નક્કી કરવાની સ્વતંત્રતા તેનામાં નથી. વ્યક્તિએ કરેલા કર્મોનું ફળ પ્રકૃતિ અથવા ભગવાન આપતા હોય છે. પછી ભલે એ ફળ આ જન્મમાં મળે કે આવનાર જન્મમાં. પ્રકૃતિનો ભૌતિક રીતે પણ એ જ નિયમ છે કે જેટલા પ્રમાણમાં ઘાત થશે એટલા પ્રમાણમાં જ અને વિરુદ્ધ દિશામાં પ્રતિઘાત પણ થશે. માટે મનુષ્યએ પોતાના કર્મો તેના દ્વારા મળનારા ફળને ધ્યાનમાં રાખીને જ કરવા જોઈએ. આ મૂળભૂત સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને જ આ રૂઢિપ્રયોગ પ્રચલિત થયો છે. ખુબ જાણીતો આ રૂઢિપ્રયોગ આમ તો પોતે જ બધું સમજાવી દે છે. બીજાનું ખરાબ કરવા માટે કારસો ઘડનાર જયારે પોતાની જ જાળમાં ફસાઈ જાય છે ત્યારે આ કહેવત ઉપયોગમાં લેવામાં આવે છે. આ કહેવત પોતાની  સાથે કુદરતના નિયમની પણ પુષ્ટી કરે છે. સંસારમાં કોઈ પોતાના કરેલા કર્મોના ફળથી પર નથી એ હકીકત આ કહેવત દ્વારા દર્શાવામાં આવી છે. ઉદાહરણ - " પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદીઓને ઉછેરતું રહ્યું. પણ આજે એ પોતે ખોદેલા ખાડામાં જ પડી ગયા છે. ત્

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

પાડાના વાંકે પખાલીને ડામ આપને ઘણી વખત  એવું થતું જોઈએ છીએ કે કોઈ સાચો અપરાધી કે કંઈક ખોટું કામ કરનાર વ્યક્તિ સાવ છૂટથી ફરતી હોય છે પણ એને નિર્દોષ ભાવે, જાણે-અજાણે    નાનો એવો  સાથ આપનાર વ્યક્તિ ઉપર મુસીબતના ડુંગર તૂટી પડે છે. આવી પરિસ્થિતિમાં દંડ પામનાર વ્યક્તિનો હકીકતે કોઈ વાંક-ગુનો હોતો નથી છતાં એને સહન કરવું પડે છે. આ ઘટનાને આ કહેવતમાં વર્ણવવામાં આવી છે. પાડાને સાચા ગુનેગાર તરીકે અને પખાલીને (પાડાના ચાલક અથવા માલિકને ) નિર્દોષ સહાયક તરીકે બતાવ્યા છે. પાડો ગામમાં કંઈ ઉથલ પાથલ કરી દે તો બધા પાડાને મારવાને બદલે પખાલીને જ ડામ (અથવા તો દંડ ) દે છે.  ઉદાહરણ 1 - " એ આતંકવાદી તો ભાગી ગયો પણ તેને ટ્રેનની ટીકીટ કઢાવી આપનાર એજન્ટ બિચારો જિંદગીભર માટે કોર્ટના ધક્કા ખાતો થઇ ગયો. પાડાના વાંકે પખાલીને ડામ . " આ કહેવતમાં અપરાધીને ખરેખર અપરાધી હોવું જરૂરી નથી. એ કોઈ મોટી ભૂલ કરનાર વ્યક્તિ પણ હોઈ શકે. મૂળ વાત એ છે કે મોટી ભૂલ કરનાર છૂટથી ફરે છે અને એમના સાથીદાર મુસીબતમાં મુકાઈ જાય છે. આ અર્થ મુજબ એક વધુ ઉદાહરણ નીચે મુજ છે. ઉદાહરણ 2 - " જનકભાઈનો દીકરો  લોકો પાસેથી લ

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા   આ કેહવત પ્રમાણે માણસને બાર વર્ષે બુદ્ધિ આવી જવી જોઈએ. સાન એટલે કે શાણપણ સોળ વર્ષે અને વાન એટલે કે પુરા રંગ રૂપ વીસ વર્ષે આવી જ જવા જોઈએ. જો ના આવે તો એ ક્યારે આવે એ કહી શકાય નહિ. સમાજ માં નજર નાખતા આ કહેવત ઘણે  અંશે સાચી લાગે છે. બાર વર્ષ વટાવી ચુકેલ કિશોરને બાળક ના કહી શકાય કારણ કે એની બુદ્ધિ નો હવે સારો એવો વિકાસ થઇ ગયો હોય છે. સોળ વર્ષનો તરુણ સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સારી રીતે સમજી શકે છે. અને વીસ વર્ષે એ તરુણ પુરો યુવાન કે  યુવતી બની જાય છે અને એ સમયે તે તેના રૂપની ચરમ સીમાની નજીક હોય છે. પરંતુ સમાજ માં ઘણા એવા લોકો આપણેં જોઈએ છીએ કે જેમની સારી એવી ઉમર થઇ જવા છતાં આ બધા ગુણોને પામ્યા ના હોય. ઉદાહરણ - " કરસનભાઈના બંને દીકરાઓ મોટા ઢાંઢા જેવડા થઇ ગયા તોયે નથી અક્કલના ઠેકાણા કે નથી રંગરૂપ ના ઠેકાણા. બારે બુદ્ધિ, સોળે સાન ને વિસે વન - આવ્યા તો આવ્યા નહીતર ગયા. કોણ જાણે શુ કરશે એ બંને જીવનમાં જીવનમાં. " BARE BUDHDHI, SOLE SAN NE VISE VAN - AAVYA TO AAVYA NAHITAR GAYA (Intelligence at twelve, sanity at

કહેવત - કણક અને કન્યા - કેળવીએ એમ કુણી

કણક અને કન્યા - કેળવીએ એમ કુણી આ કેહવત પણ અગાઉ લખેલી બે કેહવત " દીકરી ને ગાય દોરે ત્યાં જાય " અને " હલાવી ખીચડી ને મલાવી  દીકરી - બગડે બગડે ને બગડે " ની સાથે બંધ બેસતી છે. કણક - એટલે કે લોટ - બાંધવા બેસીએ ત્યારે એને ખુબ કેળવીને બાંધવો પડે છે. જો ધીરે ધીરે પાણી નાખીને દરેક બાજુએથી સરખો ટીપાય નહિ તો એ લોટની રોટલી કુણી બનતી નથી. જયારે સારી રીતે બાંધેલા લોટની રોટલી ખુબ કુણી બને છે અને લાંબા સમય સુધી કુણી રહે પણ છે. એ જ રીતે જો દીકરીને પણ સારી રીતે કેળવવામાં આવે તો એ એના સ્ત્રી સહજ સ્વભાવ પ્રમાણે ઘરમાં પ્રેમ, સંસ્કાર અને ધર્મની સુવાસ ફેલાવી દે છે. ઉદાહરણ  - " મારી દીકરીને મેં કણક ની જેમ ઉછેરી છે. કોઈની સામે ઊંચા અવાજે વાત ના કરે. કણક અને કન્યા તો કેળવીએ એમ કુણી ". KANAK ANE KANYA - KELAVIYE EM KUNI (Daughters (supposedly young daughters) and flour is as gentle as you knead) This proverb is in the same essense to the other two proverbs " DIKRI NE GAY DORE TYA JAY " and " HALAVI KHICHDI NE MALAVI DIKRI - BAGDE BAGDE NE BAGDE

કહેવત - હલાવી ખીચડી ને મલાવી દીકરી - બગડે બગડે ને બગડે

હલાવી ખીચડી ને મલાવી દીકરી - બગડે બગડે ને બગડે  ખીચડી એકવાર ચડવાની (પાકવાની ) શરુ થઇ જાય પછી એને હલાવાય નહિ. જો હલાવીયે તો એનો સ્વાદ બગડી જાય અથવા તો કાચી પાકી રહી જાય. આ કેહવત મુજબ દીકરીઓનું પણ   અદ્દલ એવું જ હોય છે. જો દીકરીને વધુ મલાવવામાં આવે, એટલે કે વધુ લાડ લડાવવામાં આવે તો એ પણ બગડે છે. અહી બગાડવાનો અર્થ બહોળો છે. એવું પણ બની શકે કે વધુ લાડ કોડ ને કારણે એનામાં રહેલો સ્ત્રી સજાહ સહન શક્તિનો અને પરિસ્થિતિ પ્રમાણે વર્તવાનો ગુણ ઓછો થઇ જાય. સ્ત્રીઓમાં સામાન્ય રીતે સૌને કંઈક   ને કંઈક   આપવાનો ગુણ રહેલો હોય છે. જો સારી રીતે ઉછેર કરવામાં ના આવે તો  એવું પણ બને કે ઈશ્વરદત્ત   આ ગુણ એનામાં ઓછો થઇ જાય.  આ કેહવત એક બીજી કેહવત " દીકરી ને ગાય દોરે ત્યાં જાય " ની સાથે ખાસ્સી મળતી આવે છે. ઉદાહરણ - "અતિશય લાડ લડાવેલી મારી દીકરીએ પોતાની અણસમજમાં એક મુફલીસ  છોકરા સાથે ભાગીને લગ્ન તો કર્યા પણ હવે ગરીબાઈમાં એનાથી રેહવાતું નથી. સાચી જ વાત છે કે હલાવી ખીચડી ને મલાવી દીકરી - બગડે બગડે ને બગડે" HALAVI KHICHDI NE MALAVI DIKRI - BAGDE BAGDE NE BAGDE Once Kh

કહેવત - દીકરી ને ગાય માથું મારી ખાય

દીકરી ને ગાય માથું મારી ખાય   આ કેહવત એક મૂળ કેહવત " દીકરી ને ગાય દોરે ત્યાં જાય " નું રમુજી સંસ્કરણ છે. ગાય ને જો ખોરાક મળતો હોય તો એ એના પશુ સ્વભાવને કારણે માથું મારીને પણ ખાવા પ્રયત્ન કરે છે. દીકરીઓ આમ તો લગ્ન પછી સાસરે જરી રહે છે પરંતુ વારે તેહવારે લેવા દેવા ના ભાગ રૂપે કઇ ને કઇ ખર્ચો કરાવતી રહે છે. ભલે પછી એ ખર્ચો ઇચ્છિત હોય કે અનિછિત. આ કેહવત હળવી પળોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આનો ઉપયોગ દીકરીઓને સંભળાવવા માટે થતો નથી. મોટે ભાગે આનો ઉપયોગ દીકરી સાથે મજાક ઉડાડવા માટે કે ટીખળ કરવા માટે થાય છે. ઉદાહરણ -   "હા મારી દીકરી તું પણ તારા ભાગની સાડી લેતી જા. મારાથી તને ના થોડી પડાશે! દીકરી ને ગાય તો માથું મારી ખાય." DIKRI NE GAY MATHU MARI KHAY This proverb is the funny version of " DIKRI NE GAY DORE TYA JAY ". A cow, true to its animal nature, would head break her way to food. Similar to that, even after marriage of the daugher her family is till in sort of debt to give her something every now and then in festivals or  occasions  etc. Wheth

કહેવત - દીકરી ને ગાય દોરો ત્યાં જાય

દીકરી ને ગાય દોરો ત્યાં જાય દીકરી અને ગાય બંનેને જેવી ટેવ પડીએ એવી ટેવ પડે છે. બંને સ્વભાવથી જ ખુબ ડાહી અને પ્રેમાળ હોય છે માટે મોટાનુ કહ્યું કરે છે. માટે જ બંનેની સારસંભાળ, જાળવણી, કેળવણી અને દોરવણીનું ધ્યાન શરૂઆતથી જ રાખવું જોઈએ. જો નાનપણથી જ  આ બાબતોનું ધ્યાન ના રાખીએ તો પુખ્ત થયા પછી આ વિષયમાં ઝાઝુ કાઈ થઇ શકતું નથી. આ પરિસ્થિતિ દર્શાવવા માટે ઉપરોક્ત કેહવત કેહવામાં આવી છે. ઉદાહરણ - " તમારે તમારી દીકરીને પહેલેથીજ કામકાજ શીખવાડવાની જરૂર હતી. દીકરી ને ગાય તો દોરે ત્યાં જાય. " DIKRI NE GAY DORE TYA JAY According to this proverb, a daughter is like a cow. She learns what you teach her. She turns as you mold her. Because of this very nature one should take more care about growing the daughter from the beginning. If one fails to do this his daughter may well take the wrong path in the life. There is not much you can do after that.

રૂઢિપ્રયોગ - બકરું કાઢતા ઉંટ બેઠું

બકરું કાઢતા ઉંટ પેઠું  અર્થ વિસ્તાર: ઘણીવાર એવું બને કે આપણને કોઈ સમસ્યા બહુ મોટી લગતી હોય અને આપને તેનો નિકાલ કરવા જઈએ. પરંતુ નિકાલ કરવા જતા અંતે આપણને એવું જણાય કે આમ કરવા જતા આપને ખરેખરતો જે હતી એના કરતા બહુ મોટી મુશ્કેલી નોતરી દીધી છે. આંગણમાં બેઠેલું બકરું આપણને નડતું હોય છે માટે આપને એને કાઢીને જગ્યા ખાલી કરીએ છીએ પણ પછી એ ખાલી જગ્યામાં એક ઉંટ આવીને બેસીજાઈ તો આપણી શું હાલત થાય? એવી જ હાલત દર્શાવવા માટે આ કેહવતનો ઉપયોગ થાય છે. ખાસ નોંધ - આ કેહવતનો તાત્વિક અર્થ " ડોશી તો મરે પણ જમ ઘર ભાળી જાય " એ કેહવત કરતા થોડો જુદો છે. ડોશી વાળી કેહવતમાં મોટી મુશ્કેલી એટલા માટે આવી કે તમે નાની મુશ્કેલીમાં સમાધાન કર્યું. જયારે આ કેહવાતમાં અનાયાસેજ આવી પડેલી મોટી મુશ્કેલીનું નિરૂપણ છે. બકરું કાઢતી વખતે તમને એ ખ્યાલ નહતો કે ખાલી જગ્યામાં કોઈ ઉંટ આવીને બેસી જશે. જયારે ડોશી વળી કેહવાતમાં તમને જાણ છે અને માટે બીક છે કે આ વખતે સમાધાન કરવાથી ભવિષ્યમાં મોટી મુશ્કેલી આવી શકે છે. ઉદાહરણ - " મારે તો બકરું કાઢતા ઉંટ પેઠું. થોડા સમય માટે શરદીની દવા લીધી તો જીવનભરની એસીડીટી થઇ ગઈ. "

રૂઢિપ્રયોગ - ડોશી તો મરે પણ જમ ઘર ભાળી જાય

ડોશી તો મરે પણ જમડો (જમ  અથવા યમરાજ) ઘર ભાળી જાય  ઘણીવાર કોઈ નાની મુશ્કેલી આવે ત્યારે એનો નિકાલ એટલા સમય પુરતો સરળ લાગતો હોય છે. પરંતુ છતાં એવી બીક પણ હોય છે કે આ નાની વિપત્તિ સામે અત્યારે તો સમાધાન કરી લઈએ   પણ એકવાર નાનું સમાધાન સહી લેવાને લીધે ભવિષ્યમાં મોટી વિપત્તિ સહન કરવાનું ક્યાંક  ના આવી પડે. ઘરમાં રહેલી ડોશી તો વૃધ્ધ અને બીમાર છે. એ મરે એમાં એટલું મોટું નુકસાન નથી જણાતું પણ જમ (એટલે કે યમરાજ ) ઘર જોઈ જાય અને બીજા લોકોને પણ એક પછી એક (બીમારી અથવા કોઈ પણ કારણસર) લઇ જાય તો એ બહુ મોટું નુકસાન થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં આપણે મુંઝવણમાં મુકાઇ જઈએ છીએ કે આ નાની વિપત્તિમાં સમાધાન કરવું કે નહિ. આ મુંજવણને  વર્ણવવામાટે આ કેહવતનો ઉપયોગ થાય છે. ઉદાહરણ - "આ ગુંડાને અત્યારે 50 રૂપિયા આપવાનો વાંધો નથી પણ એકવાર દીધા  પછી એ વધારે રૂપિયા  માંગે તો?  ડોશી મરે એનો વાંધો નથી પણ જમ  ઘર ભાળીજાય  એની બીક છે." DOSHI TO MARE PAN JAM GHAR BHALI JAY Sometimes you are ready to compromise against a relatively minor problem. But at the same time you fear that this problem can

રૂઢિપ્રયોગ - ખાળે ડૂચા ને દરવાજા મોકળા

રૂઢિપ્રયોગ -  ખાળે ડૂચા ને દરવાજા  મોકળા ઘણીવાર એવું બને કે આપણે નાની નાની વસ્તુઓમાં બચત કરવા જઈએ છીએ - એવી વસ્તુઓ કે જે જીવનમાં ઓછા-વત્તા અંશે જરૂરી છે. પણ એ જ વખતે મોટા મોટા અને અયોગ્ય ખર્ચા ઉપર કાપ મુકતા  નથી. ઘરના કોઈ નાના એવા ખૂણામાં રહેલી ખાળમાંથી પાણી અંદર ના આવી જાય એનું ધ્યાન રાખવામાં જતા અમુક માણસો દરવાજા ખુલ્લા મૂકી દે છે. માટે આ કેહવત તો જે તે વ્યક્તિની વિચાર્હીનતા બતાવવામાટે કટાક્ષમાં ઉપયોગમાં લેવાઈ છે.   ઉદાહરણ  -  " મારી પત્ની શાકવાળા પાસે પાંચ પાંચ રૂપિયા ઓછા કરાવે છે પણ દર રવિવારે મોંઘી હોટલમાં જમવા માટે જરૂર જવા જોઈએ. ખાળે ડૂચા ને દરવાજા મોકળા. " આ કેહવત ત્યારે પણ ઉપયોગ થઈ શકે જયારે કોઈ વ્યક્તિ પ્રમાણમાં નાની એવી મુશ્કેલી સામે પુરજોશથી લડે છે પણ મોટી સમસ્યાની ઉપેક્ષા કરે છે. ઉદાહરણ - " સરકાર ખાળે ડૂચા દે છે અને દરવાજા મોકળા છે. નાના નાના કર્મચારીઓ ની  લાંચ ઉપર પસ્તાળ પાળે છે અને મોટા મોટા અધિકારીઓને મુક્ત મને ભ્રષ્ટાચાર કરવા દે છે. " KHALE DUCHA NE DARVAJA MOKLA Sometimes it happens that we worry about saving in small things - which ar